• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • હેલ્થ
  • દહીં સાથે આ 5 વસ્તુઓ ક્યારેય ન ખાવી, ટેસ્ટ વધારવાના ચક્કરમાં થશે આ નુકશાન...

દહીં સાથે આ 5 વસ્તુઓ ક્યારેય ન ખાવી, ટેસ્ટ વધારવાના ચક્કરમાં થશે આ નુકશાન...

03:33 PM August 03, 2022 admin Share on WhatsApp



દહીંનો સ્વાદ મોટાભાગના લોકોને આકર્ષે છે, તેથી જ આપણે તેને ઘણી ખાદ્ય ચીજોમાં ભેળવતા હોઈએ છીએ, પરંતુ ઘણી પદ્ધતિઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવામાં દહીંમાં શું ભેળવવું યોગ્ય છે? અને  ખોટી રીતે દહીં ખાવાના શૂં છે ગેરફાયદા તે વિશે જાણીએ.

 

ઘણા લોકો દહીંમાં કંઈપણ મિક્ષ કરીને ખાય છે, આમ કરવાથી ટેસ્ટ તો વધે છે, પરંતુ શું તમે જાણો છો કે, આ ટેસ્ટ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહે છે. જેમ કે દહીં સાથે કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, ઘણા લોકો એવા છે કે જેઓ ખૂબ જ શોખથી ડુંગળીવાળુ ભોજન સાથે દહી મિક્સ કરીને ખાય છે. જ્યારે કેટલાક લોકો દહીં સાથે દૂધનું સેવન કરે છે, આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

 

►દહીં સાથે ડુંગળી ક્યારેય ન ખાવી જોઈએ

દહીંમાં ડુંગળી ઉમેરીને તમે તેને ખૂબ જ ચાહથી ખાઓ છો, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમારા શરીરને કેટલું નુકસાન થઈ રહ્યું છે. દહીં અને ડુંગળી બંનેનો સ્વાદ અલગ-અલગ હોય છે. દહીં ઠંડું છે જ્યારે ડુંગળી ગરમ છે. આ બંનેને એકસાથે ખાવાથી હર્પીસ, ખુજલી, ખંજવાળ, ખરજવું, સોરાયસીસ, ત્વચા અને પેટને લગતી અનેક બીમારીઓ તમને થઈ શકે છે. તેથી જો તમે અત્યાર સુધી આ બે વસ્તુઓ એકસાથે ખાતા હો, તો હવે તેને તરત જ છોડી દો.

 

દહીં સાથે આ વસ્તુઓ ક્યારેય ન ખાવી

1. કેરી અને દહીં

ભૂલીથી પણ કેરી અને દહીં એકસાથે ન ખાઓ, બંને એકી સાથે ખાવાથી શરીર માટે ઝેર સમાન બની જાય છે, કારણ કે તેમની અસર એકબીજાથી બિલકુલ અલગ છે.

2. અડદની દાળ

અડદની દાળને દહીં સાથે બિલકુલ ન ખાવી, બંને પેટમાં જાય છે અને શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે, જેનાથી પાચનની અનેક સમસ્યા ઉભી થઈ શકે છે.

3. દૂધ અને દહીં

દૂધ અને દહીનું એક સાથે સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી એસિડિટી, ગેસ અને ઉલ્ટીની સમસ્યા થવા લાગે છે. સાથે જ પાચનની પણ સમસ્યા થઈ શકે છે.

4. તળેલી વસ્તુઓ

સામાન્ય રીતે ઘરોમાં જોવામાં આવે છે કે દહીંને પરાઠા સાથે ખૂબ જ હોંશથી ખાવામાં આવે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. તળેલી તમામ વસ્તુઓ સાથે દહીં ન ખાવુ જોઈએ. કારણ કે તેનાથી પાચનક્રિયા નબળી પડે છે અને પેટને લગતા અનેક રોગ નોતરે છે.

 

(નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચારો અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, તબીબની સલાહ લેવી. અમે આની પુષ્ટિ કરતા નથી.)

gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

Gold Silver Price Today : માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ; જાણો આજના ભાવ

  • 05-02-2026
  • Admin
  • અમદાવાદમાં હાઇપ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ, પોલીસ રેડમાં મહિલાઓ સહિત 80થી વધુ લોકો પકડાયા
    • 05-02-2026
    • Gujju News Channel
  • દવા વગર બીપી કેવી રીતે ઓછું કરવું? હાર્ટના ડોક્ટરે કહ્યું-આ 5 રીતે ઘેર જ ઠીક થઈ જશે
    • 04-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 5 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો ગુરૂવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 04-02-2026
    • Gujju News Channel
  • અમરેલી : મોટા લીલીયા ગામમાં શ્વાનનો આતંક, 6થી વધુ લોકો અને 8 પશુઓને બચકા ભર્યા
    • 03-02-2026
    • Gujju News Channel
  • ટેરિફમાં રાહત મળતા કયા-કયા સેક્ટરને થશે સીધી અસર? જુઓ કોને નુકસાન-કોને ફાયદો
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 4 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો બુધવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 03-02-2026
    • Gujju News Channel
  • આંખોમાં ગુસ્સો, પાવરફૂલ એન્ટ્રી, એક્શનથી ભરપૂર છે રણવીરની Dhurandhar 2 નું ટીઝર
    • 03-02-2026
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 3 ફેબ્રુઆરી 2026 : જાણો આજનો મંગળવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 02-02-2026
    • Gujju News Channel
  • Firefox બ્રાઉઝર યુઝર્સ એલર્ટ, કરોડો યુઝર્સ છે હેકર્સના નિશાન પર!
    • 02-02-2026
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us