
દહીંનો સ્વાદ મોટાભાગના લોકોને આકર્ષે છે, તેથી જ આપણે તેને ઘણી ખાદ્ય ચીજોમાં ભેળવતા હોઈએ છીએ, પરંતુ ઘણી પદ્ધતિઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. એવામાં દહીંમાં શું ભેળવવું યોગ્ય છે? અને ખોટી રીતે દહીં ખાવાના શૂં છે ગેરફાયદા તે વિશે જાણીએ.
ઘણા લોકો દહીંમાં કંઈપણ મિક્ષ કરીને ખાય છે, આમ કરવાથી ટેસ્ટ તો વધે છે, પરંતુ શું તમે જાણો છો કે, આ ટેસ્ટ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની રહે છે. જેમ કે દહીં સાથે કેટલીક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, ઘણા લોકો એવા છે કે જેઓ ખૂબ જ શોખથી ડુંગળીવાળુ ભોજન સાથે દહી મિક્સ કરીને ખાય છે. જ્યારે કેટલાક લોકો દહીં સાથે દૂધનું સેવન કરે છે, આમ કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.
►દહીં સાથે ડુંગળી ક્યારેય ન ખાવી જોઈએ
દહીંમાં ડુંગળી ઉમેરીને તમે તેને ખૂબ જ ચાહથી ખાઓ છો, પરંતુ શું તમે જાણો છો કે તેનાથી તમારા શરીરને કેટલું નુકસાન થઈ રહ્યું છે. દહીં અને ડુંગળી બંનેનો સ્વાદ અલગ-અલગ હોય છે. દહીં ઠંડું છે જ્યારે ડુંગળી ગરમ છે. આ બંનેને એકસાથે ખાવાથી હર્પીસ, ખુજલી, ખંજવાળ, ખરજવું, સોરાયસીસ, ત્વચા અને પેટને લગતી અનેક બીમારીઓ તમને થઈ શકે છે. તેથી જો તમે અત્યાર સુધી આ બે વસ્તુઓ એકસાથે ખાતા હો, તો હવે તેને તરત જ છોડી દો.
દહીં સાથે આ વસ્તુઓ ક્યારેય ન ખાવી
1. કેરી અને દહીં
ભૂલીથી પણ કેરી અને દહીં એકસાથે ન ખાઓ, બંને એકી સાથે ખાવાથી શરીર માટે ઝેર સમાન બની જાય છે, કારણ કે તેમની અસર એકબીજાથી બિલકુલ અલગ છે.
2. અડદની દાળ
અડદની દાળને દહીં સાથે બિલકુલ ન ખાવી, બંને પેટમાં જાય છે અને શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે, જેનાથી પાચનની અનેક સમસ્યા ઉભી થઈ શકે છે.
3. દૂધ અને દહીં
દૂધ અને દહીનું એક સાથે સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી એસિડિટી, ગેસ અને ઉલ્ટીની સમસ્યા થવા લાગે છે. સાથે જ પાચનની પણ સમસ્યા થઈ શકે છે.
4. તળેલી વસ્તુઓ
સામાન્ય રીતે ઘરોમાં જોવામાં આવે છે કે દહીંને પરાઠા સાથે ખૂબ જ હોંશથી ખાવામાં આવે છે, પરંતુ આવું ન કરવું જોઈએ. તળેલી તમામ વસ્તુઓ સાથે દહીં ન ખાવુ જોઈએ. કારણ કે તેનાથી પાચનક્રિયા નબળી પડે છે અને પેટને લગતા અનેક રોગ નોતરે છે.
(નોંધ: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચારો અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, તબીબની સલાહ લેવી. અમે આની પુષ્ટિ કરતા નથી.)
gujju news channel - health tips in gujarati - gujarati news - gujju news - the gujju news